Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

નવરાત્રીમાં માતાજીના પૂજા પાઠ માટે લો મોબાઇલનો સહારો : ઘરમાં કરો ઓનલાાઇન પાઠ અને આરતી : મંદિરો તો બંધ છે

લખનૌ :  આખા ઉત્તર પ્રદેશમાં લોકડાઉન છે. નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે અને હજુ છ દિવસ બાકી છે. કોરોના વાયરસ અને લોક ડાઉનને જોતા લગભગ બધા મંદિરોના કપાટ બંધ છે. પુરોહિત/ ગોર પણ લોકડાઉનના કારણે તમારા ઘરે આવીને પૂજા-આરતી અને હવન નથી કરાવી શકતા. ત્યારે કોઇ તકલીફ પડે તો પોતાના મોબાઇલની મદદથી વીડીયો કોલીંગ દ્વારા પૂજા કરાવી શકો છો.  ભજન અને આરતી માટે ઓનલાઇન તમારા માટે સૌથી મદદ રૂપ બની શકે છે. ભજનનું નામ સર્ચમાં નાખો અને મ્યુઝીક સાથે ભકિતપૂર્વક ભજન સાંભળો પણ કોરોના વાયરસના ખાત્મામાં મદદ કરો અને ઘરની બહાર ન નિકળો.

(3:39 pm IST)