Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

'ન્યાય' યોજનાનો લોગો બનાવો અને રાહુલને મળવાની તક ઝડપો

ગરીબોને મહિને રૂ. ૧૨૦૦૦ આપવાની યોજનાનો બહોળો પ્રચાર કરાશે

રાજકોટઃ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ કેન્દ્રમાં હવે કોંગ્રેસની સરકાર આવે તો ગરીબોને માસિક રૂ. ૧૨૦૦૦ સુધીની આવકની ગેરેંટી આપતી 'ન્યાય' યોજના જાહેર કરી છે. આ યોજનાના બહોળા પ્રચાર માટે પાર્ટી દ્વારા લોગો બનાવવાની સ્પર્ધા જાહેર કરવામાં આવી છે. સૌથી વધુ પ્રભાવક લોગો પસંદ કરી પ્રચારમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. તા. ૩૦ સુધીમાં ઈ-મેઈલથી લોગો મોકલી શકાશે. જેનો લોગો પસંદ થાય તેને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાની તક મળશે. વધુ માહિતી માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં સોશ્યલ મીડિયા કંટ્રોલ રૂમ ફોન નં. ૦૭૯-૨૬૫૭૮૨૧૨ અથવા ૧૩  ઉપર સંપર્ક સાધી શકાય છે.

(3:47 pm IST)