Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કૌભાંડી નિરવ મોદીના ચિત્રોની હરરાજીઃ ૫૦ કરોડ ઉપજયા

સૌથી મોંઘુ ચિત્ર રાજા રવિ વર્માનું ૧૪ કરોડમાં વેચાયુ

મુંબઈઃ કરોડોના પીએનબી બેંક કૌભાંડમાં હાલ ઈંગ્લેન્ડની જેલમાં બંધ નિરવ મોદીની કિંમતી પેઈન્ટીંગની હરરાજી થઈ હતી. જેમાં કુલ ૫૦ કરોડ ઉપજયા હતા. આવકવેરા ખાતાએ નિરવ પાસેથી ૯૫ કરોડની વસુલાત કરવાની છે.

આ ચિત્રોમાં સૌથી મોંઘુ રાજા રવિ વર્માએ દોરેલ પેન્ટીંગ ૧૪ કરોડમાં વેચાઈ હતી. આ સિવાય એફએન સુજાનું ચિત્ર ૯૦ લાખ, જોગેન ચૌધરીનું ચિત્ર ૪૬ લાખ, ભૂપેન ખાખરનું પેન્ટીંગ ૩૫ લાખ અને કેકે હૈબ્બરની પેન્ટીંગ હરરાજીથી ૪૦ લાખમાં વેચાયું હતુ. આવકવેરા ખાતા દ્વારા નીલામી યોજાઈ હતી.

(3:28 pm IST)