Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

દક્ષિણ બેન્ગલોરની બેઠક પરથી BJP તરફથી તેજસ્વી સૂર્યાને ટિકિટ મળી

બેંગ્લોર તા. ર૭: BJP નો યુવા ચહેરો તેમ જ યુવા વકીલ તેજસ્વી સૂર્યાને BJP તરફથી દક્ષિણ બેન્ગલોરની બેઠક પરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર ખૂબ લાંબી ચર્ચા વિચારણા અને ડ્રામા બાદ તેજસ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. એવી પણ ચર્ચા ચાલી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક ઉપરાંત કર્ણાટકની દક્ષિણ બેન્ગલોરની બેઠક પરથી પણ ચૂંટણી લડશે.

મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ પાર્ટી તરફથી આ બેઠક માટે તેજસ્વીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક માટે ૧૮ એપ્રિલે મતદાન યોજાશે. BJP તેના પર વિશ્વાસ મૂકયો એનો ઉત્સાહ તેજસ્વી સૂર્યાએ કરેલા ટ્વીટ પરથી જોઇ શકાય છ.ે

ઉલ્લેખનીય છે કે આ પહેલા દક્ષિણ બેન્ગલોર બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન અનંદકુમાર ચંૂટાઇ આવ્યા હતા. ગયા વર્ષે તેમનું નિધન થયું હતું. ૧૯૯૯માં અનંદકુમારે કોંગ્રેસના બી.કે. હરિપ્રસાદને હાર આપી હતી અને ત્યાર બાદ તેઓ અહીંથી સતત ચૂંટાયા હતા.

(11:51 am IST)