Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બેગુસરાયથી ટિકિટ ફાળવાતા ગિરિરાજસિંહે ફરી વ્યથા ઠાલવી :કહ્યું પક્ષના નિર્ણયથી સ્વાભિમાનને ઠેસ પહોંચી

ગિરિરાજસિંહે કહ્યું પોતાના આત્મ સન્માન સાથે કોઈ સમજૂતી નહી કરે

dir="ltr">બિહારમાં નવાદા બેઠકને બદલે બેગૂસરાય બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેમને ફરીથી વ્યથા ઠાલવી છે  તેમણે કહ્યું કે પક્ષના નિર્ણયથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. મને પૂછ્યા વગર જ બેઠક બદલી દેવાઈ. તેમણે પક્ષ સામે સવાલ પણ કર્યો કે પાર્ટી નેતૃત્વએ જણાવવુ જોઈએ કે આમ કેમ કરવામાં આવ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતાના આત્મ સન્માન સાથે કોઈ સમજૂતી નહી કરે
 
સૂત્રોની માહિતી મુજબ ટિકિટ ફાળવણી પહેલા ગિરિરાજસિંહના દિલ્હી સ્થિત નિવાસ પર ભાજપના બિહાર પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય અને બિહાર ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યા હતા. જોકે ગિરિરાજસિંહે બંને નેતાઓને કોઈ ખાતરી આપી ન હતી .
(9:21 pm IST)