Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભાગેડુ નીરવ મોદીની કાર, ઘડિયાળ અને પેઈન્ટિંગ્સ સહીત 112 સામાનની હરાજી

 

 

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકને ચૂનો લગાડનારા માસ્ટરમાઈન્ડ હીરાના વેપારી નીરવ મોદીના જપ્ત કરાયેલા વિવિધ 112 સામાનનની હરાજી કરવામાં આવશે. આ હરાજી ગુરુવારના રોજ કરવામાં આવશે અને તેનું આયોજન ઈડી અને સૈફરનઆર્ટ દ્વારા કરવામાં આવ્યું છે

 અત્રે . ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકને હીરા વેપારી નીરવ મોદીએ 14 હજાર કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો હતો.

(1:12 am IST)