Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કેસ ઘટતા દિલ્‍હીમાં વિકેન્‍ડ કરફયુ અને ઓડ-ઇવન સમાપ્‍તઃ લગ્ન સમારોહમાં છુટછાટ

૫૦ ટકા ક્ષમતા સાથે થીયેટરને પણ મંજુરી

નવી દિલ્‍હી, તા.૨૭: દિલ્‍હીના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સત્‍યેન્‍દ્ર જૈને કહ્યું છે કે આજે દિલ્‍હીમાં કોરોનાના પાંચ હજારથી ઓછા કેસ આવ્‍યા છે.  તેમણે દાવો કર્યો કે દિલ્‍હીમાં પોઝિટિવિટી રેટ ૧૯ ટકાથી નીચે આવી જશે.  થોડા દિવસો પહેલા દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો પોઝીટીવીટી રેટ દ્યટાડવામાં આવે તો કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી શકાય છે. દરમિયાન દિલ્‍હી સરકારે આજે પાટનગરમાં કોરોનાને લગતા નિયંત્રણો ઢીલા કર્યા છે. હવે લગ્ન સમારંભમાં ૨૦૦ લોકોને મંજૂરી અપાઇ છે. ૫૦ ટકાની ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની છૂટ અપાય છે અને બજારોમાં ઓડ-ઈવન નિયમ દુકાનો માટે લાગુ થયેલ તે રદ કરવામાં આવ્‍યા છે પાટનગરમાં વિક એન્‍ડ કરફયુ પણ સમાપ્‍ત કરવામાં આવ્‍યા છે.

 

(3:27 pm IST)