Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનમાં નવો વળાંક : બે ખેડૂત નેતાઓની આંદોલનથી અળગા રહેવા જાહેરાત

રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘના પ્રમુખ વીએમ સિંહ કહ્યું હવે આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું: ભારતીય કિસાન યૂનિયન (ભાનુ)ના અધ્યક્ષ ઠાકુર ભાનુ પ્રતાપ સિંહે પણ આંદોલન ખતમ કરવા એલાન કર્યું

નવી દિલ્હી : ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલતા આંદોલન દરમિયાન ગઈકાલે થયેલ હિંસક ઘટનાથી નારાજ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમેટીના અધ્યક્ષ વીએમ સિંહે આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે આ આંદોલન ખેડૂતોની માંગોને લઇ શરૂ થયું હતુ, પરંતુ હવે તેનું રૂપ બદલાઇ ગયું છે. તેથી હવે આ લોકોનું સાથ આપવા નથી માંગતા. વીએમ સિંહે આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર પણ આરોપ લગાવ્યા. વીએમ સિંહ સિવાય ભારતીય કિસાન યૂનિયન (ભાનુ)ના અધ્યક્ષ ઠાકુર ભાનુ પ્રતાપ સિંહે પણ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી છે.

(5:59 pm IST)