Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જાધવની માતા-પત્નિ સાથે ખરાબ વર્તનથી કૌર ખફા

સરબજીતની બહેન પણ નાખુશ થઇ

નવીદિલ્હી, તા. ૨૬ : કુલભૂષણ જાધવના પરિવાર સાથે પાકિસ્તાનના ખરાબ વર્તનથી સરબજીતસિંહની બહેન દલબીર કૌરે પણ નારાજગી વ્યક્ત કરી છે. લાહોર જેલમાં ૨૦૧૩માં માર્યા ગયેલા બહુચર્ચિત ભારતીય કેદી સરબજીતસિંહની બહેન દલબીર કૌરનું કહેવું છે કે, કુલભૂષણ જાધવને તેમના પત્નિ અને માતાને  મળવવામાં આવ્યા ત્યારે કાંચની દિવાલ રાખવામાં આવી હતી. પાકિસ્તાને ભારતીયો સાથે ખુબ ક્રૂર વર્તન કર્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ નાટક તરીકે હતું. દલબીરે કહ્યું છે કે, પાકિસ્તાને એજ ડ્રામાબાજી કરી છે જે તેને સરબજીત સાથે કરી હતી. જ્યારે અમે સરબજીતને મળવા ગયા ત્યારે ત્યાના વિદેશ મંત્રાલયે કહ્યં હતું કે, તે જાણતા નથી કે સરબજીત ક્યાં છે. આ વખતે પાકિસ્તાને કૂલભૂષણ જાધવના કેસમાં ખરાબ વર્તન કર્યું છે. માનવતાનું ધ્યાન પાકિસ્તાને રાખ્યું નથી. જ્યારે આટલી સુરક્ષા હતી ત્યારે પરિવારના સભ્યો વચ્ચે કાંચની દિવાલ રાખવાનો કોઇ હેતુ નથી.

(7:48 pm IST)