Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા સામેના સમન્સ ઉપર દિલ્હી હાઈકોર્ટનો સ્ટે : એક હજાર બસોની ખરીદીમાં દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોત સામે આક્ષેપો કર્યા હતા : ગહલોતે ગુપ્તા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

ન્યુદિલ્હી : ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે કરેલી બસોની ખરીદી વિષે આક્ષેપો કર્યા પછી ગહલોતે ગુપ્તા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.આથી દિલ્હી કોર્ટે ગુપ્તાને સમન્સ પાઠવ્યું હતું.જેના અનુસંધાને દિલ્હી હાઈકોર્ટએ સમન્સ ઉપર રોક લગાવી છે.

જસ્ટિસ મનોજ કુમાર ઓહરીએ ગહલોતને ગુપ્તાની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે અને કેસની વધુ સુનાવણી આવતા વર્ષે માર્ચમાં રાખી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)