Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલરાયનો કોરોના રિપોર્ટ પોઝીટીવ: ટવીટ કરીને આપી જાણકારી

સંપર્કમાં આવેલા લોકોને પોતાનો ટેસ્ટ કરાવવા અપીલ

નવી દિલ્હી : દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય કોરોના  પોઝિટિવ મળ્યા છે. તેમણે પોતે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે: "પ્રારંભિક ચિહ્નો પછી કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જે પોઝિટિવ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો પણ સંપર્કમાં આવ્યા છે. કૃપા કરીને તમારી જાતનું ધ્યાન રાખો અને ટેસ્ટ કરાવો.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ કોરોના પોઝિટિવ બની ગયા છે. જ્યારે સત્યેન્દ્ર જૈનની હાલત ગંભીર હતી ત્યારે તેમને પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ સાજા થઈ ગયા હતા.   

   મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત લગભગ 6 મંત્રીઓમાંથી અડધા મંત્રીઓ એટલે કે 3 મંત્રીઓને કોરોના વાયરસના ચેપથી અસર થઈ છે.

(12:35 pm IST)