Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પીએમ મોદી અને અમિતભાઇ શાહની ચર્ચા બાદ ફડણવીસના રાજીનામાનો કરાયો નિર્ણંય

સુપ્રીમકોર્ટના નિર્ણંય બાદ મહારાષ્ટ્રની રાજનીતિ અંગે ટોચના નેતાઓ મળ્યા : અજિત પવારે રાજીનામુ આપ્યા બાદ ફડનવીસએ પણ રાજીનામુ આપ્યું

નવી દિલ્હી : મહારાષ્ટ્ર્ની રાજનીતિમાં અવનવા વળાંકો બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, સુત્રો મુજબ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગના થોડાં જ કલાકો બાદ ફડણવીસે રાજીનામુ આપ્યું.હતું

 સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મોદી-શાહની મીટિંગ કેન્દ્રની સત્તાધારી ભાજપના બંન્ને ટોપ લીડર્સને સુપ્રીમ કોર્ટ નિર્ણય બાદ કેટલાંક વિકલ્પોની ચર્ચા કરી હતી બંન્ને નેતાઓએ તેના પર ચર્ચા કરી કે ફડણવીસને હવે મુખ્યમંત્રી રહેવું જોઈએ કે પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

સુત્રોનો દાવો છે કે, આ મીટિંગ બાદ ફડણવીસને એક મેસેજ મોકલવામાં આવ્યો હતો. મંગળવારે બપોરે 3.30 વાગ્યે ફડણવીસે પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી.

(7:38 pm IST)