Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અજિત પવારને જોરદાર આંચકો : તમે પક્ષના ધારાસભ્યોને વહીપ નહિ આપી શકો : વિધાનસભાના સચિવે આપ્યો સંકેત !!

એનસીપી તરફથી સચિવને પત્ર મળ્યો : હવે વિધાનસભા પક્ષના નેતા હવે જયંત પાટીલ

મુંબઈ  : મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે જે બાબત પર સૌની મીટ હતી કે એનસીપી વિધાયકોને વહીપ કોણ આપશે તેના પરથી પડદો ઊંચકાઈ ગયો છે મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવે કહ્યું હતું કે અમને એનસીપી તરફથી પત્ર મળી ગયો છે કે વિધાનસભા પક્ષના નેતા હવે જયંત પાટીલ છે અને એમણે આપેલો વ્હીપ જ આખરી ગણાશે.

આમ મહારાષ્ટ્ર વિધાનસભા સચિવે અજિત પવારને જોરદાર આંચકો આપ્યો હતો અને આડકતરી રીતે કહી દીધુ હતું કે તમે પક્ષના ધારાસભ્યોને વ્હીપ આપી નહીં શકો.ભાજપ અને અજિતની યોજના એવી હતી કે વિધાનસભા પક્ષના નેતા તરીકે એ એનસીપીના ધારાસભ્યોને વ્હીપ આપશે કે સરકારને વિશ્વાસના મતમાં સહકાર આપવો. ધારાસભ્યો વ્હીપ નહીં માને એટલે એમનું સભ્યપદ રદ થશે અને દેવેન્દ્ર ફડનવીસ સહેલાઇથી બહુમતી પુરવાર કરી શકશે.

(3:29 pm IST)