Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ અજિત પવાર શું કરશે? એનસીપી નેતાઓ સાથે ગુપ્ત સ્થળે મિટિંગ : સાંજ સુધીમાં લેશે નિર્ણંય

હજી સુધી અજીત પવારે કાર્યભાર સંભાળ્યો નથી: એનસીપીના નેતાઓ દ્વારા સતત મનાવવાના પ્રયાસો

મુંબઈ : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા ડેપ્યૂટી સીએમ અજિત પવાર પહોંચ્યા હતા  આ પહેલાં અજિત પવારે એનસીપીના નેતાઓ સાથે એક મિટિંગ કરી હતી . ગુપ્ત જગ્યાએ થયેલ મિટિંગમાં એનસીપીના નેતાઓએ અજિત પવારને મનાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહેવાય છે આ દરમિયાન નેતાઓએ અજિત પવારને રાજીનામું આપવાની પણ માંગણી કરવામાં આવી છે.

  ડેપ્યૂટી સીએમ અજિત પવાર શું કરશે? હજી સુધી અજીત પવારે તેમનો કાર્યભાર સંભાળ્યો નથી. એનસીપીના નેતાઓ સતત અજિત પવારને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અજિત પવાર એકલા જ ઘરેથી નીકળ્યા હતા અને એનસીપીના નેતાઓને મળ્યા હતા. તો એનસીપીના નેતાઓનું કહેવું છે કે, અજિત પવાર બહુ જલદી નિર્ણય લેશે.

(12:22 pm IST)