Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વજુભાઇ વાળા પર એન્જીયોપ્લાસ્ટી

છાતીમાં દુઃખાવો ઉપડતા બેંગલુરૂ ખાતે તાત્કાલિક એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાવી

રાજકોટ, તા. ર૬ : કર્ણાટકના રાજયપાલ અને રાજકોટના વતની ગુજરાતના પૂર્વ નાણામંત્રી શ્રી વજુભાઇ વાળાને હૃદયમાં તકલીફ થતાં એન્જીયોપ્લાસ્ટી કરાયાનું જાણવા મળે છે. તેમની તબિયત સારી છે.

૮૧ વર્ષના શ્રી વજુભાઇ વાળા છેલ્લા સવા પાંચ વર્ષથી કર્ણાટકના રાજયપાલ પદે ફરજ બજાવી રહ્યા છે.  તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક બેંગ્લોરમાં સારવાર અપાયેલ. તેમની હૃદયની અમૂક નળીઓ બ્લોકેજ જણાતા તાત્કાલિક એન્જીયોગ્રાફી બાદ એન્જીયોપ્લાસ્ટી કરાયાનું જાણવા મળે છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(11:36 am IST)