Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી કૈલાસચંદ્ર જોષીનું ૯૦ વર્ષની ઉંમરે નિધન

મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી અને બીજેપી નેતા કૈલાસચંદ્ર જોષીનું લાંબી બિમારી પછી રવિવારના ૯૦ વર્ષની ઉંમરમા નિધન થઇ ગયું.

એમણે ભોપાલ હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ તેમના નિધન પર દુઃખ બતાવતા ટવિટ કર્યુ કે કૈલાસજી એવા દિગ્‍ગજ હતા જેમણે મધ્‍યપ્રદેશના વિકાસમાં મજબુત યોગદાન આપ્‍યું.

કૈલાસચંદ્ર જોષી ૧૯૭૭ થી ૧૯૭૮ સુધી મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી રહ્યા હતા.

(8:53 am IST)