Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ગુજરાતની કંપનીને મળ્‍યો સંસદ ભવનના પુર્નનિર્માણનો રૂ. રર૯.૭ કરોડનો કોન્‍ટ્રાકટ

દિલ્લીનું સંસદ ભવન, રાજપથ અને સેન્‍ટ્રલ વિસ્‍તારના પુનનિર્માણનો કોન્‍ટ્રાકટ અમદાવાદમાં આવેલ કંપની એચસીપી ડિઝાઇન, પ્‍લાનિંગ અને મેનેજમેન્‍ટને આપવામાં આવ્‍યો છે.

શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્‍યું છે કે  કોન્‍ટ્રેકટ રૂ. રર૯.૭ કરોડમાં આપવામા આવ્‍યો છે જે રૂ. ૪૪૮ કરોડના અનુમાનથી ઓછો છે.

આ કંપનીએ અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્‍ટનું પુનનિર્ર્માણ કર્યુ હતુ. પ્‍લાનને  લઇ ઘણી સરકારી ઇમારતો તોડવામા આવશે. આ કામ માટે માર્ચ ર૦ર૪ સુધીની સમય મર્યાદા નકકી થઇ છે.

(12:00 am IST)