Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

અભયભાઈની તબિયત જોવા સુરતથી આવી રહેલા ડો. સમીર ગામી અને ટીમ : ૬II વાગ્યે પહોંચશે

ભાજપના રાજયસભાના સભ્ય અને સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજની તબિયત સતત નાજુક છે. તેમને વેન્ટીલેટર ઉપર રખાયા છે. ત્યારે તેમની તબિયત જોવા અને આગળ ઉપરની સારવાર માટે સુરતથી ફેફસા - કોરોનાના નિષ્ણાંત સુપ્રસિદ્ધ ડો.સમીર ગામી અને તેમની ટીમ સાંજે ૬II વાગ્યે રાજકોટ આવી રહ્યા છે. તેઓ અભયભાઈને તપાસી તુરત રાત્રે ૮ વાગ્યે સુરત પરત જવા વિમાન માર્ગે નીકળી જશે. ડો.સમીર ગામી સાથે ડો.હરેશ વસ્તાપરા, ડો.હસમુખ બલર અને ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચી રહ્યા છે.

(5:39 pm IST)