Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આજે ૮૮મો જન્મદિવસ

ભારત આજે મનમોહનસિંહ જેવા વડાપ્રધાનની કમી અનુભવી રહ્યો છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. ર૬ : ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો આજે ૮૮મો જન્મદિવસ છે. ર૬ સપ્ટેમ્બર ૧૯૩રમાં જન્મેલા મનમોહનસિંહે ૧૯૯૧થી ૧૯૯૪ દરમિયાન નાણામંત્રી તરીકે દેશની અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર કાઢી હતી.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મનમોહનસિંહને જન્મદિવસની શુભેચ્છા આપતા જણાવેલ કે ભારત આજે એવા વડાપ્રધાનની કમી મહેસુસ કરી રહ્યો છે, જેમાં મનમોહનસિંહ જેવી સમજ હોય. તેમની ઇમાનદારી, શાલીનતા અને સર્મપણ અમારા બધા માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને આવનારા વર્ષો મધુર હોય.

(11:27 am IST)