Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પાકિસ્તાનના શીખ નેતા ચરણજીત સિંહના હત્યારા બંને આરોપીઓ જામીન ઉપર મુક્ત

પેશાવર :પાકિસ્તાનના લોકપ્રિય  શીખ નેતા 52 વર્ષીય ચરણજીત સિંહની પેશાવર મુકામે 29 મે ના રોજ હત્યા કરવાના  આરોપી 2 શખ્શોને કોર્ટએ જામીન ઉપર મુક્ત કરી દીધા છે. બચાવ પક્ષના વકીલના  જણાવ્યા મુજબ બંને આરોપીઓ વિરુદ્ધ મૃતકના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવાઇ નહોતી.

ઉલ્લેખનીય છે કે પેશાવરમાં છેલ્લા થોડા સમયથી શીખોની હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે.તેમજ વિસ્તારમાં આવેલા શીખોના ધાર્મિક સ્થાનો ઉપર પણ હુમલાઓ થવાની ઘટનાઓ વધી રહી છે. તારિક તથા શાહીર નામક આરોપીઓએ ચરણજીત સિંહ ઉપર ગોળીબાર કરી મોત નિપજાવ્યાનો આરોપ છે.

(6:24 pm IST)