Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

રાજકોટમાં કોરોનાનો જીવલેણ ફૂફાડો યથાવત: આજે પણ 7ના મોત

રાજકોટ: કોરોના કાળ બનીને દરરોજ જીવ લઈ રહ્યો છે. ગઈકાલે 6 દર્દીના મોત થયા બાદ રાતથી આજ સવાર સુધીમાં વધું 7 દર્દીના મોત થયા છે. જેમાં 4 દર્દીના સિવિલ કોવિડ સેન્ટરમાં તથા 3 દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે.

મૃતકોના નામ

1. હનીફાબેન જીકરભાઈ તાકી ઉમર-80 રહે. ધ્રોલ ખાનગીમાં મોત

2. અજિતભાઈ સતારભાઈ જિંતાણી ઉંમર 66 રહે. સુરેન્દ્રનગર, ખાનગીમાં મોત

3. પ્રવીણભાઈ માધવજીભાઈ સંચાણીયા ઉંમર 54 રહે. રાજકોટ , ખાનગીમાં મોત 

4. હંસાબેન રમેશભાઈ વાજા ઉંમર 50 રહે. સંત કબીર રોડ, ધરાર નગર, રિપોર્ટ બાકી

5. કાનજીભાઈ કેશુભાઈ ગાંજારિયા ઉંમર 62, રહે. અમરેલી, રિપોર્ટ બાકી

6. હાસમભાઈ હસનભાઈ પુલાણી ઉંમર 54, રહે. માંગરોળ, પોઝિટિવ

7. ભાવનાબેન નવીનભાઈ મારૂ ઉંમર 65, રહે. પંચાયત નગર, શાંતિસવન બ્લોક રાજકોટ

(11:00 am IST)