Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને ઉત્તરપ્રદેશના દેવપ્રયાગમાં ૮૬૧મી ઓનલાઇન રામ કથાનો પ્રારંભ

રાજકોટ તા.૨૬ : આજથી પૂ.મોરારીબાપુના વ્યાસાસને ઉત્તરપ્રદેશના દેવપ્રયાગમાં ૮૬૧મી ઓનલાઇન રામ કથા યોજાશે.

ઉત્તર પ્રદેશના દેવપ્રયાગના પતંજલિ સેવા આશ્રમમાં કાલે સાંજે ચાર વાગ્યે શ્રી રામકથાનો પ્રારંભ થશે અને સાંજના સાત વાગ્યા સુધી શ્રી રામકથાનું પૂજય મોરારીબાપુ રસપાન કરાવશે.

જયારે તારીખ ૨૭થી ૪ જુલાઇ સુધી દરરોજ સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી શ્રી રામકથાનું આયોજન કરાયું છે કોરોના મહામારી ના કારણે આ કથાનું ઓનલાઇન આયોજન કરાયું છે ભાવિકો ઘરે બેઠા આસ્થા ચેનલ અને પૂજય મોરારી બાપુની યુ-ટયૂબ ચેનલ ઉપર લાઇવ કથાનું રસપાન કરી શકશે.

(12:09 pm IST)