Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હાવડા-જબલપુર સમલેશ્વરી એકસપ્રેસ પાટા પરથી ઉતરીઃ ૩ રેલ કર્મીનાં મોત

હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એકસપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી

રાયગઢ, તા.૨૬: ઓડિશાના રાયગઢમાં હાવડા-જગલપુર સમલેશ્વરી એકસપ્રેસનું એન્જિન સહિત દ્યણાં કોચ પાટા પરથી ઉતરી જતા ૩ રેલવે કર્મચારીઓના મોત થયા છે. પેસેન્જર ટ્રેન ટાવર કાર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ હાલ રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે ઈસ્ટ કોસ્ટ રેલ્વે(ECOR)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

આ અંગે ઈસીઓઆરના પબ્લિક રિલેશન ઓફિસર જે પી મિશ્રાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણે વ્યકિતઓ રેલવે કર્મચારીઓ છે. આ ત્રણ વ્યકિતઓમાં સુરેશ ટાવર કારમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. જયારે બાકીના બે વ્યકિતઓમાં ગોર નાયડું અને સાગરનો સમાવેશ થાય છે, આ બંને અનુક્રમે ટેકિનશિયન અને સિનિયર સેકશન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.

હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એકસપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી. ટાવર કારનો ઉપયોગ રેલવેના વિવિધ થાંભલાઓ સહિતની વસ્તુઓના મેન્ટેનન્સ માટે કરવામાં આવે છે.

(10:23 am IST)