Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગુજરાતમાં બહારથી ઇલાજ કરાવવા આવતા દર 10માંથી બે દર્દીઓ વિદેશી

ભારત 2020માં વિશ્વમાં ટોપ ત્રણ હેલ્થકેર માર્કેટમાં સ્થાન મેળવશે.

નવી દિલ્હી :સસ્તી, આધુનિક, ઝડપી અને સરળ સારવાર મળી રહેતી હોવાથી ગુજરાત બહારથી ઘણા દર્દીઓ સારવાર માટે ગુજરાતમાં આવતા હોય છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં બહારથી આલતા દર 10માંથી 2 દર્દીઓ વિદેશી હોય છે.

  ભારત 2020માં વિશ્વમાં ટોપ ત્રણ હેલ્થકેર માર્કેટમાં સ્થાન મેળવશે. આ સેક્ટર 2020 સુધીમાં 280 બિલિયન યુએસડીનો વ્યવસાય કરતું હશે અને આ ક્ષેત્રે 40 મિલિયન નવી જોબનું નિર્માણ થશે.

(12:00 am IST)