Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

દિલ્હી હાઈકોર્ટની ઝાટકણી પછી તિહાડ જેલમાં મોટી કાર્યવાહી : 80 અધિકારીઓ-કર્મચારીઓની ટ્રાન્સફર

અત્યાર સુધી ટિલ્લૂ તાજપુરિયાની હત્યા પછી 171 જેલ સ્ટાફની ટ્રાન્સફર કરાઈ

નવી દિલ્હી :દિલ્હીની તિહાડ જેલમાં ગેંગસ્ટોના બે ગ્રુપમાં અથડામણ અને ટિલ્લૂ તાજપુરિયાની હત્યા પછી જેલની સુરક્ષાને લઈને ઘણા મોટા સવાલો સર્જાઈ રહ્યાં છે. દિલ્હી હાઈકોર્ટે પણ આ મામલામાં જેલ પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. તે પછીથી તિહાડ જેલના મહાનિર્દેશક સંજય બેનીવાલના આદેશ પર ગત સપ્તાહે મોટા લેવલ પર 99 અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હતી. ટ્રાન્સફરની આ કડીમાં હવે 80 અધિકારીઓ અને જેલ સ્ટાફની ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં ડેપ્યુટી સુપરિટેન્ડન્ટથી લઈને આસિસ્ટન્ટ સુપરિટેન્ડન્ટ, હેડવાર્ડર અને વાર્ડર પ્રમુખ રીતે સામેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જેલના જે 80 અધિકારીઓ અને જેલ કર્મચારીઓની ટ્રાન્સફર કરવામાં છે, તેમાં 05 ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ, 09 આસિસ્ટન્ટ સુપરિટેન્ડન્ટ, 8 હેડવાર્ડર અને 58 વાર્ડર સામેલ છે. આ પહેલા 99 જેલ કર્મચારીઓની ટ્રાન્સફર થઈ હતી. તેમાં 11 ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ, 12 આસિસ્ટન્ટ, 15 હેડ વાર્ડર, 56 વાર્ડર અને 4 ડ્રાઈવર સામેલ હતા. આ મામલામાં જેલ પ્રશાસન તરફથી ઘણા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ટિલ્લૂ તાજપુરિયાની હત્યા પછી 171 જેલ સ્ટાફની ટ્રાન્સફર કરવામાં આવી છે.

(9:15 pm IST)