Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આઝાદી કૂચ શરૂ: નવી ચૂંટણીઓની તારીખો જાહેર થાય નહીં ત્યાં સુધી પાકિસ્તાનના ઇસ્લામાબાદનો ડી-ચોક નહીં છોડવા ઇમરાન ખાનનો મક્કમ નિર્ધાર

પંજાબ પોલીસ સાથે પીટીઆઈ કાર્યકરોની અથડામણ; અલી અસજદ માલ્હી, જમશેદ ચીમાની ધરપકડ: ડૉ યાસ્મીન રશીદના વાહન પર હુમલો; લાહોરના બાટી ચોકમાં વિન્ડશિલ્ડ તોડી નંખાઈ : ડો. રાશિદ અને અંદાલીબ અબ્બાસની અટકાયત

પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીના અધ્યક્ષ અને સત્તા પરથી તાજેતરમાં પદભ્રષ્ટ થયેલા વડાપ્રધાન ઈમરાન ખાને આજે બુધવારે પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ અને તેમના સમર્થકો ઈસ્લામાબાદમાં ડી-ચોક ખાલી કરશે નહીં જ્યાં સુધી "આયાતી સરકાર" દ્વારા નવી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં ન આવે.

 ઇમરાને હસન અબ્દાલમાં સંક્ષિપ્ત સ્ટોપઓવર દરમિયાન આ ટિપ્પણી કરી હતી - જે રાજધાનીથી આશરે ૫૦ કિલોમીટર દૂર છે - કારણ કે તેના સમર્થકોનો એક ભાગ તમામ અવરોધોમાંથી પસાર થઈને તેની પહેલાં ડી-ચોક પહોંચ્યો હતો.
 પીટીઆઈ નેતાએ કહ્યું કે જ્યારે તેમનો કાફલો તેના ગંતવ્ય પર પહોંચશે ત્યારે પોલીસ પણ તેના મિશનને સમજશે - જેને તેમણે "જેહાદ" તરીકે કહ્યું છે.
* ઈમરાન ખાનનો કાફલો એટોક બ્રિજ પરના અવરોધો હટાવ્યા બાદ પંજાબમાં પ્રવેશ કરેલ છે
* સમર્થકોને ઈસ્લામાબાદના ડી-ચોક પહોંચવા, પોતપોતાના શહેરોમાં રેલીઓ કાઢવાનું કહ્યું
* પંજાબ પોલીસ સાથે પીટીઆઈ કાર્યકરોની અથડામણ;  અલી અસજદ માલ્હી, જમશેદ ચીમાની ધરપકડ કરવામાં આવી છે
* ડૉ યાસ્મીન રશીદના વાહન પર હુમલો;  લાહોરના બાટી ચોકમાં વિન્ડશિલ્ડ તોડી નાંખવામાં આવી
*  ડો. રાશિદ અને અંદાલીબ અબ્બાસને થોડા સમય બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા
* કાર્યકરો લાહોરમાં રસ્તા રોકો કરીને તેમના માર્ગ પર દબાણ કરી રહ્યા છે
* અલી અમીન ગાંડાપુરના નેતૃત્વમાં પીટીઆઈ દક્ષિણ કેપીનો કાફલો પંજાબમાં પ્રવેશયો છે

* દેખાવકારો ક્રેન વડે આડચ તરીકે મુકવામાં આવેલ શિપિંગ કન્ટેનરને હટાવવાનો પ્રયાસ કરતા, એટોક ખાતે ટીયરગેસ છોડેલ છે

પીટીઆઈની ઈસ્લામાબાદ સુધીની લોંગ માર્ચને રોકવા અને તેને અવરોધવા માટે બુધવારની પોલીસ કાર્યવાહીની સમાજના તમામ વર્ગો તરફથી નિંદા કરવામાં આવી.

પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યા પછી પંજાબમાં તનાવ વધ્યો છે. સમગ્ર પ્રાંતના શહેરોમાં પીટીઆઈના કેટલાંક કૂચકારોની ધરપકડ કરી છે. કારણ કે સમર્થકોએ ઈસ્લામાબાદના માર્ગોને અવરોધિત કરતા મુકવામાં આવેલ શિપિંગ કન્ટેનરને દૂર કરવાનો પ્રયાસ કર્યો.  પોલીસે લાહોરના આઈવાન-એ-અદલ નજીક દેખાવકારો પર લાઠીચાર્જ પણ કર્યો હતો.  લાહોરના અન્ય વિસ્તારોમાં જેમ કે ઈસ્લામપુરા, કરીમ પાર્ક, મોહની રોડ અને બદામી બાગમાં પણ પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણની જાણ થઈ છે.
 વરિષ્ઠ પત્રકાર મઝહર અબ્બાસે નોંધ્યું કે સરકારે બળના ઉપયોગથી પોતાને નુકસાન પહોંચાડ્યું છે.
 "પાકિસ્તાનના સળગતા લોકતાંત્રિક ઈતિહાસમાં વધુ એક દુઃખદ દિવસ," તેમણે રુદન કર્યું

(12:23 am IST)