Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રેલ ભવન આવતી કાલ સુધી સીલ

રેલ મંત્રાલયના અધિકારીઓને કોરોના વળગ્યો

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૧.૫૦ લાખ પહોંચવા આવી છે, તેવામાં રેલ મંત્રાલયના કેટલા અધિકારીઓને કોરોના પોઝીટીવ આવતા રેલ્વે ભવન આવતીકાલ બુધવાર સુધી સીલ કરી દેવામાં આવ્યુ છે. દરમિયાન બિલ્ડીંગને સેનેટાઇઝર કરાશેઃ ઉપરાંત સંક્રમણના વધતા ખતરાને ધ્યાને રાખી દિલ્હી-ગાઝીયાબાદ બોર્ડર સામાન્ય લોકો માટે સીલ કરવામાં આવી છે. ફકત પાસ ધારકો જ અવર જવર કરી શકશે.

(2:46 pm IST)