Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

" વંદે માતરમ મિશન " : છેલ્લા બે માસથી ઈઝરાયલમાં રોકાઈ પડેલા 115 ભારતીયો આજ મંગળવારે દિલ્હીમાં પગ મુકશે

ન્યુદિલ્હી : વંદે ભારત મિશન હેઠળ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવાની યોજનાને મળી રહેલા ભારે પ્રતિસાદથી અત્યાર સુધીમાં 20 હજાર ઉપરાંત ભારતીયો વતનમાં આવી શક્યા છે.અને હવે  લોકડાઉનને કારણે ઈઝરાયલમાં રોકાઈ પડેલા 115 ભારતીયો સાથેનું એર ઇન્ડિયાનું વિમાન આજે રાત્રે 1 કલાક અને 15 મિનિટે ભારત આવવા રવાના થઇ ચૂક્યું છે.જે દિલ્હી પહોંચ્યા બાદ રાંચી જશે.તમામ મુસાફરોને ક્વોરેન્ટાઇનના નિયમોનું પાલન કરવાનું રહેશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)