Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભારતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મોતની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ

41 ટકા મોત માત્ર મહારાષ્ટ્રમાં : મહારાષ્ટ્ર સહીત ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી 82 ટકા લોકોના મોત પાંચ રાજ્યોમાં થયા

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 15 દિવસમાં થયેલા મોતની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં આઠ ટકાનો વધારો થયો છે. આમાંથી 41 ટકા મોત એકલા મહારાષ્ટ્રમાં થયા છે. જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી 82 ટકા લોકોના મોત આ પાંચ રાજ્યોમાં જ થયા છે. પશ્ચિમ બંગાળમાં કોરોના મૃત્યુ દર 7.4 ટકા છે. જે સૌથી વધુ છે. બિહાર-કેરળ અને ઓડિશામાં આ આંકડો માત્ર 0.5 ટકાનો છે.

(12:57 pm IST)