Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

બ્રિટનમાં ગુરુદ્વારા ઉપર હુમલો : બારીના કાચ તોડી નાખ્યા : કોઈ જાનહાની નહીં : એક શકમંદ આરોપીની ધરપકડ : દરરોજ 500 લોકોને ભોજન પહોંચાડવાની સેવા ચાલુ રખાશે

લંડન : બ્રિટનના ડર્બીમાં આવેલા અર્જન દેવ ગુરુદ્વારા ઉપર વંશીય હુમલા સમાન હેટ  ક્રાઇમ ઘટના આજરોજ સોમવારે સવારે બની છે.જે મુજબ ગુરુદ્વારાની બારીના કાચ તોડી નખાયા છે.તેથી ગુરુદ્વારામાં સાફસફાઇનું કામ ચાલુ છે.કોઈ જાનહાનિના અહેવાલ નથી.તેમજ ગુરુદ્વારા મારફત દરરોજ 350 થી 500 જેટલા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન પહોંચાડવાની સેવા ચાલુ રખાશે એક શકમંદ આરોપીની ધરપકડ કરાઈ છે.તથા પોલીસ દ્વારા હુમલા અંગે તપાસ ચાલુ કરી દેવાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:40 pm IST)