Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અમેઠીના બારોલીના પૂર્વ ગ્રામ પ્રધાનની હત્યા મામલે સાત લોકોની અટકાયત :સઘન પૂછપરછ

હત્યાકાંડનો 12 કલાકમાં ખુલાસો થવાનો ડીજીપીનો દાવોમ

યુપીના અમેઠીના બારોલીમાં પૂર્વ પ્રધાન અને સ્મૃતિ ઈરાનીના નજીકના મનાતા સુરેન્દ્રસિંહની ગોળી મારીને હત્યા કરાઈ છે યુપી ડીજીપી ઓપી સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બારોલીના પૂર્વ ગ્રામ પ્રધાન સુરેન્દ્ર સિંહની હત્યા ની ગહન તપાસ કરવામાં આવી રહી છે.

  ડીજીપીએ વધુમાં કહ્યું કે આ મામલે પોલીસે અગત્યના પુરાવા મળ્યા છે. હાલમાં 7 લોકોની પૂછપરછ કરવા માટે અટક કરવામાં આવી છે. ડીજીપી ઘ્વારા 12 કલાકમાં આ હત્યાકાંડનો ખુલાસો કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

(7:47 pm IST)