Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

લાખો રૂપિયાના પગારવાળી નોકરીમાંથી રિટાયર થઇ શાહ દંપતીએ દીક્ષા લીધી : પંચમપદ (સાધુપદ) પ્રસ્થાન કર્યું

મુંબઇ : પ્રકાશભાઇ મોહનલાલ શાહ (ઉ.૬૪) અને મુમક્ષુ નયનાબેન પ્રકાશભાઇ શાહ (ઉ.૬૨) એ ગઇકાલ તા. ૨૫ના રોજ દીક્ષા લઇ પંચમપદ (સાધુપદ) પ્રસ્થાન કર્યું છે અને નૂતન મુનિરાજ બન્યા છે. ૧ વર્ષ પૂર્વે તેઓ રિલાયન્સ ઇન્ડ.માં મહત્વના પદ ઉપરથી રિટાયર થયા હતા ત્યારે વાર્ષિક લાખો રૂ.માં પગાર હતો. તેમણે સજોડે દીક્ષા લીધી છે.

બોરીવલીના પ્રકાશભાઇ શાહના એક પુત્રએ પણ પહેલા નાના પંડિતજી મ.સા.માં જ લીધી હતી, હવે એમના પિતાને માતા બન્ને નાના પંડિતજી મ.સા.માં જ ચૈત્ર સુદ ૧૩ને ગઇકાલે તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ના મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે દિક્ષા લીધી હોવાનું સોશ્યલ મીડિયામાં પ્રસારિત થયું છે.

(2:58 pm IST)