Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કોણ છે વારાણસીના ૫૬મા કલેકટર સુરેન્દ્રસિંહ?

આજે વારાણસીથી નરેન્દ્રભાઈએ પોતાનું ઉમેદવારી પત્રક જીલ્લા કલેકટર સુરેન્દ્રસિંહને સુપ્રત કર્યુ હતુ. સુરેન્દ્રસિંહનો જન્મ ૧૯૭૮માં થયેલ અને તેમણે જીયોલોજી (ભૂગર્ભશાસ્ત્ર) સાથે માસ્ટર્સ કર્યુ છે. ૨૦૦૫ની સાલમા આઈએએસ પરિક્ષામાં સુરેન્દ્રસિંહસિંહે યુપીમાં પહેલો અને દેશભરમાં ૨૧મો નંબર મેળવ્યો હતો. તેમનું પહેલું પોસ્ટીંગ પણ ૨૦૦૫ થયેલ. તેમને અનેકવાર સરકારે સમ્માનીત પણ કર્યા છે. તેમણે ગયા વર્ષે વારાણસીના ૫૬મા કલેકટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

(3:07 pm IST)