Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સગીર પૌત્રને કસ્ટડીમાં લીધાના આઘાતમાં ૭૦ વર્ષના દાદાનું મૃત્યુ

મુંબઇ, તા.૨૬: મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં પોલીસના વાહન પર પથ્થરબાજીના આરોપ હેઠળ પોલીસે સગીર પૌત્રને કસ્ટડીમાં લીધાના આઘાતમાં ૭૦ વર્ષની વયના તેના દાદા દત્તું ગણપતિ મોરેનું મૃત્યુ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઉમરગા તાલુકાના ટેલમોડ ગામે રવિવારે થયેલા એક કાર-અકસ્માતમાં ત્રણ જણ મૃત્યુ પામ્યા હતા. ઘટનાસ્થળ પર પોલીસ મોડી પહોંચતાં સ્થળ પર હાજર લોકોએ પોલીસના વાહન પર પથ્થર વરસાવ્યા હતા, જેમાં મોરેનો પૌત્ર પણ સામેલ હતો.

જોકે પથ્થરબાજો ઘટનાસ્થળ પરથી પલાયન થઇ ગયા હતા. પોલીસે લગભગ ૨પ લોકો સામે ગુનો નોંધ્યો હતો. પાછળથી હાથ ધરાયેલા કોમ્બિંગ ઓપરેશનમાં પોલીસ ટુકડીએ બુધવારે દત્તુ મોરેના ઘરે જઇ તેના સગીર વયના પૌત્રની અટક કરી હતી. પૌત્રની અટકાયતી વિચલિત થયેલા દાદાને આંચકો લાગતાં ઘટનાસ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું.

(11:30 am IST)