Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મને કલંક ન લાગે તેવા આશીર્વાદ આપોઃ હકુભા

તાજેતરમાં પ્રધાન બનેલા ધર્મેેન્દ્રસિંહ જાડેજા આશ્રમે પહોંચ્યાઃ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પણ ગધેથડ આશ્રમે દર પૂનમે દર્શને આવે છે

રાજકોટ તા. ૨૬: જામનગરના ધારાસભ્ય અને તાજેતરમાં ગુજરાત સરકારમાં પ્રધાન બનેલા ધર્મેન્દ્રસિંહજી ઉર્ફે હકુભા ગત પૂનમે ગધેથડ ગાયત્રી આશ્રમે આવ્યા હતા. તેઓએ પૂ. લાલબાપુને વંદના કરીને ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે, પૂજ્ય લાલબાપુની મારા પર ખૂબ જ કૃપા છે. આજે હું બાપુ પાસેથી માંગુ છું કે, મને એવા આશીર્વાદ આપો કે, હું લોકોની ખૂબ જ સેવા કરૃં અને મને કયારેય કાળુ કલંક ન બને.

હકુભા ખૂબ ધાર્મિક પ્રતિભા છે અને નિયમિત ગાયત્રી આશ્રમે આવે છે. પૂ. લાલબાપુ પર તેઓ અપાર શ્રદ્ધા ધરાવે છે.

રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પણ પૂ. લાલબાપુમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓ દર પૂનમે આશ્રમે દર્શન કરવા જાય છે. આ ઉપરાંત ભાજપ બૌદ્ધિક સેલના જયેશભાઇ વ્યાસ પણ પૂ. લાલબાપુને ગુરૂસમાન માને છે. ગત પૂનમે લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી પણ ગાયત્રી આશ્રમે પૂ. લાલબાપુના દર્શનાર્થે ગયા હતા.

(12:56 pm IST)