Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

તોફાનો દરમ્યાન માર્યા ગયેલા લોકોને વળતર ? યોગીનો જવાબ હિંસા દરમ્યાન માર્યા ગયેલા લોકોને વળતરનુ પ્રાવધાન નથી

         ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું છે કે તોફાનો અને વિરોધ પ્રદર્શન દરમ્યાન માર્યા ગયેલ લોકોને વળતર આપવાનું પ્રાવધાન નથી અને એમને કોઇ પૈસા નહી આપવામાં આવે. સીએમ યોગીએ  વિધાનસભામાં વિપક્ષના સવાલોના જવાબ આપી રહ્યા હતા. સીએમ યોગીએ કહ્યું છે કે છેલ્લા છ  મહિનામા તોફાન અને પ્રદર્શનમા ર૧ લોકો માર્યા ગયા છે. અને ૪૦૦ પોલીસ કર્મી.ઓ પથ્થરમારામા ઘાયલ થયા છે.

         સીએમ યોગી વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના  ધારાસભ્ય રાકેશ પ્રતાપસિંહના સવાલોના જવાબ આપી રહ્યા હતા. તોફાન, વિરોધ, પ્રદર્શન અને ઘરણા દરમ્યાન થયેલા  મોતની સંખ્યાને લઇ સવાલ પુછયો હતો. સવાલનો જવાબ આપતા યોગીએ કહ્યું કે છેલ્લા છ મહિનામા ર૧ લોકો માર્યા ગયા છે.

(11:42 pm IST)