Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સીરિયામાં સરકાર સમર્થિત દળોનો જેહાદીઓના અંતિમ ઠેકાણાઓ પર હુમલો :નવ વિદ્યાર્થીઓ સહિત 20ના મોત

જબાલ અલ-જાવિયા ક્ષેત્રમાં હુમલો : શાળાને પણ નિશાન પર લેવાઈ

 

બેરૂત :સીરિયન સરકારે બળવાખોરો અને જિહાદીઓના કબજામાં રહેલા અંતિમ ઠેકાણા પર કરેલા હુમલામાં 20 સામાન્ય નાગરિકોના મોત થયા છે. જાણવા મળ્યા મુજબ હુમલો કરવા માટે શાળાને પણ નિશાન પર લેવામાં આવી હતી.

સીરિયામાં સરકાર સમર્થિત દળોના હુમલામાં નવ વિદ્યાર્થી સહિત 20 નાગરિકોના મોત થયા છે. અગાઉ રવિવારે પણ રશિયા સમર્થિત સરકારી દળોએ ઈદલિબમાં હવાઈ હુમલા કર્યા હતા જેમાં પાંચ નાગરિકોના મોત થયા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે સીરિયાનું ક્ષેત્ર બળવાખોરોના કબજામાં રહેલું અંતિમ ક્ષેત્ર છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના અહેવાલ પ્રમાણે રશિયાના હવાઈ હુમલામાં ઈદલિબના જિહાદી અને વિદ્રોહી બહુમતી ધરાવતા ઉત્તર-પશ્ચિમી પ્રાંતના કિનારે આવેલા જબાલ અલ-જાવિયા ક્ષેત્રને નિશાન પર લેવામાં આવ્યું હતું.

(10:07 pm IST)