Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

શરદ પવાર હાજર હો !

કોરેગાંવ ભીમા તપાસ પંચમાં હવે

પુણે,તા.૨૬: કોરોગાંવ ભીમા તપાસ પંચે ૨૦૧૮માં થયેલી હિંસાના કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારને બોલાવવાનો નિર્ણય કર્યો છે. ન્યાયિક પેનલના વકીલ આશીષ સતપુતેએ જણાવ્યું કે, પંચના અધ્યક્ષ રીટાયર્ડ જજ જેએન પટેલે ટીપ્પણી કરી હતી કે પવારે પેનલ સમક્ષ સોગંદનામું દાખલ કર્યું છે. અને તેમને બોલાવવામાં આવે. વકીલ અનુસાર સુનાવણીના અંતિમ તબક્કામાં પંચ શરદ પવારને બોલાવી શકે છે.

આ મહિનાની શરૂઆતમાં શિવસેના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પંચને કાર્યકાળ આઠ એપ્રિલ સુધી લંબાવીને રિપોર્ટ રજુ કરવા કહ્યું છે. સામાજીક સમૂહ વિવેક વિચાર મંચના સજય સાગર શિંદેએ ગયા અઠવાડીયે પંચ સમક્ષ આવેદન રજૂ કર્યું હતું. જેમાં તેમણે પવારને પંચ સામે જુબાની આપવા બોલવવાની માંગણી કરી હતી. પોતાની અરજીમાં શિંદેએ ૧૮ ફેબ્રુઆરીએ પવાર દ્વારા બોલવવામાં આવેલ પત્રકાર સંમલનનો ઉલ્લેખ કર્યો હતો.

(1:07 pm IST)