Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નાગરિકતા સંશોધન કાનૂન ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપર તરાપ સમાન : દિલ્હીમાં થઇ રહેલી હિંસાથી ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ ચિંતીત

વોશિંગટન : અમેરિકના  પ્રેસિડન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે દિલ્હીમાં થઇ રહેલા નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધના આંદોલને જોર પકડ્યું છે.અનેક લોકો હિંસાનો ભોગ બની રહ્યા છે.તેવા સંજોગોમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલએ તીખો પ્રતિભાવ આપતા આ કાનૂનને વખોડી કાઢ્યો છે.તથા જણાવ્યું છે કે આ કાનૂન નાગરિકોના ધાર્મિક અધિકાર ઉપર તરાપ સમાન છે.લોકશાહી દેશોમાં આવા ભેદભાવ ન રાખવા જોઈએ
તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતામાં ભયંકર વૃધ્ધી થઇ રહી છે.

(12:44 pm IST)