Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોદી સરકારે લોકતંત્રને નબળું પાડ્યાનો અન્ના હજારેનો આરોપ

મોદી સરકાર માત્ર આશ્વાસનોની સરકાર છે :બે દિવસીય જનજાગરણ યાત્રામાં લખનૌમાં અન્નાના પ્રહારો

પદ્મભૂષણથી સન્માનિત વરિષ્ઠ સમાજસેવી અન્ના હજારેએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા મોદી સરકાર પર લોક તંત્રને નબળું પાડવાનો આરોપ લગાડ્યો હતો અને કહ્યું કે માત્ર આશ્વાસનોની સરકાર છે બે દિવસીય જનજાગરણ યાત્રામાં લખનૌમાં આવેલા અન્ના હજારેએ કહ્યું કે દેશમાં 26મી જાન્યુઆરી 1950થી લોકતંત્ર આવ્યું છે ગોરા અંગ્રેજો દેશમાંથી ચાલ્યા ગયા છે પરન્તુ કાળા અંગ્રેજો હજુ અહીં છે અહીં કહેવા પૂરતા નેતા મંત્રી અને અધિકારી છે જે જનતાના સેવક છે પરંતુ તે તમામ માલિક બની ગયા છે

 

(1:45 am IST)