Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કદાચ મુત્યુ પછી જીવન નહિ હોયઃ મુત્યુ પછીના જીવનમાં મેકઅપ રૂમ હશે કેમ? શ્રીદેવી

  દુબઇમાં ૫૪ વર્ષીય અભિનેત્રી શ્રીદેવીના મુત્યુના સમાચારથી હજુ દેશ શોકમગ્ન છે. લોકો તેમના યોગદાનને યાદ કરી રહયા છે. ત્યારે એક વિખ્યાત ફિલ્મ મેગેઝીન 'સ્ટારડસ્ટ' ને શ્રીદેવીએ આપેલ ઇન્ટરવ્યુ  ધ્યાનમાં આવ્યો છે. આ ઇન્ટરવ્યુમાં તેમને પુછવામાં આવ્યું કે તેમની સૌથી મોટી જરુરીયાત કઇ છે.  ત્યારે તેણીએ કહ્યું કે મરણ પછીના જીવનમાં મેકઅપ રૂમ છે કે નહિ તે જાણવા માંગે છે . જયારે તેમના માટે સૌથી મોટી દુઃખની વાત એ છે કે, કદાચ મુત્યુ પછી જીવન નહિ હોય.

(11:38 am IST)