Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બાથટબમાં બેભાન પડી હતી શ્રીદેવી

UAEના અખબાર ખલીજ ટાઇમ્સનો દાવો

મુંબઈ તા. ૨૬ : બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોતને લઈને એક મોટો ખુલાસો થયો છે. યૂએઈના અખબાર ખલીજ ટાઈમ્સમાં શ્રીદેવીના છેલ્લી ૩૦ મિનિટની કહાની પ્રકાશિત થઈ છે. મોત પહેલા અંતિમ ૩૦ મિનિટમાં શ્રીદેવીની સાથે શું થયું હતું તેને લઈને એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં અખબારે દાવો કર્યો છે કે શ્રીદેવી બાથટબમાં બેભાન હાલતમાં મળી આવી હતી.

અખબારે લખ્યું કે, શનિવારે રાત્રે બોની કપૂર મુંબઈથી પરત જુમૈરા એમીરેટન્સ ટાવર્સ હોટલ ફર્યા, તે શ્રીદેવીને સરપ્રાઈઝ ડિનર પર લઈ જવા માગતા હતા. બોની કપૂરે હોટલના રૂમમાં શ્રીદેવી સાથે ૧૫ મિનિટ સુધી વાત કરી. બોનીએ શ્રીદેવીને ડિનર માટે આમંત્રણ આપ્યું. શ્રીદેવી તૈયાર થવા માટે વોશરૂમમાં ગઈ.

અખબારે લખ્યું કે, ૧૫ મિનિટ સુધી જયારે તે બહાર ન આવી તો બોની કપૂરે વોશરૂમનો દરવાજો ખખડાવ્યો, જયારે શ્રીદેવીએ દરવાજો ખોલ્યો નહીં તો બોની કપૂરે જોરથી ધક્કો મારીને દરવાજો ખોલ્યો, શ્રીદેવી અંદર બાથટબમાં બેભાન હાલતમાં પડી ગઈ હતી.

ત્યાર બાદ બોની કપૂરે શ્રીદેવીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શ્રીદેવી ઉઠી નહીં. ત્યાર બાદ બોનીએ પોતાના મિત્રને ફોન કર્યો. ત્યાર બાદ પોલીસને જાણકારી આપવામાં આવી. પોલીસ તરત જ હોટલના રૂમમાં પહોંચી પરંતુ ત્યાં સુધીમાં શ્રીદેવીનું મોત થઈ ગયું હતું.(૨૧.૧૧)

(10:26 am IST)