Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

ચીનના કેરોના વાયરસથી વિશ્વ ભયભીત : ઓછામાં ઓછા 250 ભારતીયો હજુ પણ વુહાનમાં અટવાયેલા : મૃત્યુઆંક 56 થયો

વુહાન અને તેની આસપાસના વિસ્તારોમાં 700 ભારતીયો વિવિધ યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે

નવી દિલ્હી : માણસખાઉ કેરોના વાયરસથી વિશ્વ ભયભીત બન્યું છે ચાઇનામાં મૃત્યુની સંખ્યા વધીને 56 થઇ છે

 ભારતીય વિદેશ ખાતાએ કહ્યું કે વુહાનમાં અટવાયેલા ભારતીયોને મદદ કરવા માટે 'તમામ વિકલ્પો ' જોવાઈ રહ્યાં છે

 દરમિયાન ઓછામાં ઓછા 700 ભારતીયો વુહાન અને તેની આસપાસના વિસ્તરોમાં વિવિધ યુનિવર્સીટીઓમાં અભ્યાસ કરે છે

 તેમાંના મોટાભાગના લોકોએ ચાઈનીઝ નવા વર્ષના આગમન પહેલાજ ચીન છોડી દીધાના અહેવાલ છે તો પણ ઓછામાં ઓછા 250 ભારતીયો હાજી પણ વુહાનમાં અટવાયેલા પડ્યા છે

(11:33 pm IST)