Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

સમરસતાથી ખતમ કરો સમાજ તોડવાની પ્રવૃતિઃ આરએસએસના વડા મોહન ભાગવતની ટિપ્પણી

        રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવતએ નામ લીધા વિના નિશાન સાધ્યુ અને કહ્યું કે સમાજ તોડનાર સંવાદો સામાજીક સમરસતાથી દૂર કરવામા આવે ભાગવત પૂર્વી ઉતરપ્રદેશ ક્ષેત્રની કાર્યકર્તા બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. એમણે બીજા દિવસે ત્રણ સત્રમાં ચાલનાર બેઠકને સંબોધીત કરતા કહ્યું પુરા સમાજને આપસી ભેદભાવથી દૂર કરવાનું કાર્ય જ સ્વયંસેવકનો ગુણ છે. આપણે સમાજને બધા વિકારોથી મુકત કરી સમરસતાના ભાવવાળા સામાજીક પરિવેશને તૈયાર કરવો છે.

        લાંબા સમયથી સમાજ તોડક સંવાદોને સામાજીક સમરસતાથી દૂર કરવામાં આવે સંઘ પ્રમુખએ કહ્યું થોડી વિકૃતીઓને કારણે સમાજના તાણાવાણા તૂટયા છે. સમાજનુ મન બદલવું જોઇએ. સામાજીક અહંકાર અને હીનભાવ બન્ને સમાપ્ત થવા જોઇએ.

(12:00 am IST)