Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

લંડનની સડક ઉપર ચાકુબાજી : 3 ભારતીયોના મોત

લંડન : લંડનમાં ગયા સપ્તાહમાં રવિવારે  ખુલ્લેઆમ સડક ઉપર થયેલી ચાકુબાજીમાં સ્થળ ઉપર જ મૃત્યુ પામેલા ત્રણે લોકો ભારતીય હોવાનું ખુલ્યું છે.આ 3 માં 29 વર્ષીય નરિન્દર સિંહ લુભાયા , 30 વર્ષીય હરીન્દરકુમાર ,તથા 37 વર્ષીય  મલકિતસિંહ  ધીલ્લોનનો સમાવેશ થાય છે.

ઈલ્ફોર્ડમાં રહેતા આ ત્રણે વ્યક્તિઓના મૃતદેહને ભારતીય દૂતાવાસ દ્વારા વતનમાં મોકલવાની વ્યવસ્થા કરાઈ છે તથા તેમના કુટુંબીઓને જાણ કરાઈ છે.આરોપી તરીકે 29 વર્ષીય ગુરજીત સિંગની ધરપકડ કરવામાં આવી છે જેને 19 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રજૂ કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:38 pm IST)