Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ધર્મનિરપેક્ષની બદલે ધર્મ અને જાતિના આધારે લોકોની ઓળખ થવી જોઈએ ;મંત્રી હેગડેનું વિવાદાસ્પદ નિવેદન

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અભિનેતા પ્રકાશ રાજે હેગડેના નિવેદનને વખોડ્યું

 

બેંગ્લુરુ ;કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી અંનતકુમાર હેગડેએ ધર્મનિરપેક્ષતા પર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કેલોકોની ઓળખ ધર્મનિરપેક્ષની બદલે ધર્મ અને જાતિના આધારે થવી જોઈએ તેઓએ એમ પણ કહ્યું હતું કે વિચાર સાથે બંધારણમાં ફેરફાર પણ કરી શકાય છે અને ટેલિ માટે આપણે અહીંયા છીએ તેઓના નિવેદનની કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર મૈયા અને અભિનેતા પ્રકાશરાજે ટીકા કરી છે

 

 

(11:41 pm IST)