Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ડુંગળીના વેપારીઓ ઉપર આઇટી દરોડા

કરોડોનો દલ્લો મળ્યો ૧૦૦ કરોડનું કાળુ નાણુ પણ ઝડપાયું

નાસિકઃ આવકવેરા વિભાગના કર્મચારીઓની વિવિધ ટીમ ચાર દિવસ પહેલા નાસિકના પીંપળગાવ બસવંત અને આસપાસના વિવિધ વેપારીઓ પર ત્રાટકી હતી. આવકવેરાના ૧૫૦થી ૨૦૦ કર્મચારીઓની ટીમે કાંદાના વેપારીઓની ઓફીસ ગોદામ, નિવાસસ્થાન પર દરોડા પાડયા હતા. આ સમગ્ર કાર્યવાહી સતત ચાર દિવસ સુધી ચાલી હતી. આ કાર્યવાહીના અંતે આવકવેરા વિભાગે વેપારીઓ પાસેથી ૨૬ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ ઉપરાંત ૧૦૦ કરોડથી વધુની બિનહિસાબી રકમનો પણ પર્દાફાશ થયો હતો. રોકડ રકમ ગણવા ૧૯ કલાક લાગ્યા હતા.

(12:16 pm IST)