Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કેરળમાં કોરોનાના ઘટતા કેસથી રાહત : દેશમાં નવા 14.473 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17.816 દર્દીઓ રિકવર થયા : વધુ 442 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.54.773 થયો :એક્ટીવ કેસ 1.62. 663 થયા : કુલ કેસની સંખ્યા 3.41.89.360 થઇ

સૌથી વધુ કેરળમાં 8538 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1410 કેસ,તામિલનાડુમાં 1127 કેસ, પશ્ચિમ બંગાળમાં 989 કેસ, મિઝોરમમાં 572 કેસ, ઓરિસ્સામાં 447 કેસ, આંધ્રપ્રદેશમાં 400 કેસ, કર્ણાટકમાં 388 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 14.473 કેસ નોંધાયા છે. જ્યારે 17.816 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 14.473 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 442 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.54..773 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 14.473 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.41.89.360 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.62.663 થઇ છે છેલ્લા 24 કલાકમાં 17.816 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.35.59.794 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 8538 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1410 કેસ,તામિલનાડુમાં 1127 કેસ, પશ્ચિમ બંગાળમાં 989 કેસ, મિઝોરમમાં 572 કેસ, ઓરિસ્સામાં 447 કેસ, આંધ્રપ્રદેશમાં 400 કેસ,  કર્ણાટકમાં 388 કેસ નોંધાયા છે

(12:06 am IST)