Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ચંદીગઢ એરપોર્ટનું નામ હવે ભગત સિંહ કરાશે: પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરી જાહેરાત

વડાપ્રધાન મોદીએ દીનદયાળ ઉપાધ્યાયજી કહેલા વાક્યોને યાદ કર્યા અને કહ્યુ દેશની પ્રગતિનું માપદંડ છેલ્લી વ્યક્તિ:આઝાદીના અમૃતમાં આપણે દીનદયાળજીને જેટલા વધુ જાણીશું, તેમની પાસેથી જેટલુ શીખીશું,

વડાપ્રધાન મોદીએ આજે 93મી વાર જનતા સમક્ષ ‘મન કી બાત’ કરી છે. વડાપ્રધાન મોદીનો આ માસિક રેડિયો કાર્યક્રમ ભાજપના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો

 મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “દેશના દરેક ખૂણેમાં લોકોએ ચિત્તાઓ ભારત પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. ચિત્તાઓ ભારત પરત આવતા 130 કરોડ ભારતીયો ખુશ છે, ગર્વથી ભરેલા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રેમ છે. આ ઉપરાંત મનકી બાતમાં વડાપ્રધાન મોદીએ એક મહત્વની જાહેરાત પણ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભગત સિંહની જન્મજયંતિ પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગત સિંહના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ-એ-આઝમ ભગત સિંહના નામ પર રાખવાની જાહેરાત કરી. જે પછી તેમણે કહ્યું કે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તે નિર્ણય લેવાયો છે. હું આ નિર્ણય માટે ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને દેશના તમામ લોકોને અભિનંદન આપું છું. તેમણે વધુમાં કહ્યું કે મારા પ્રિય દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ એટલે કે 28 સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો વિશેષ દિવસ આવી રહ્યો છે. આ દિવસે આપણે ભારત માતાના બહાદુર પુત્ર ભગતસિંહજીની જન્મજયંતિ ઉજવીશું.

(12:36 pm IST)