Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

બડે હનુમાન મંદિરના દાનમાં મોટી હેરાફેરી

પુજારી અને મહંતગિરીનો ગનમેન બે વર્ષમાં થયા કરોડપતિ ૧૦ હજારના પગારદાર પુજારી પાસે લકઝરીકાર, આલિશાન બંગલો

પ્રયાગરાજ,તા. ૨૫: મહંત નરેન્દ્રગિરીના મોત કેસની તપાસ કરી રહેલ એસઆઇટીએ ખુલાસો કર્યો છે કેવ વાઘંબરી મઠ અને હનુમાન મંદિરના દાનમાં બહુ હેરાફેરી થતી હતી. ભકતો પાસેથી આવતા દાનમાં મહંત નરેન્દ્રગિરી સાથે રહેતા તેમના ગનમેન અભિષેક મિશ્રા અને હનુમાન મંદિરનો પુજારી આદ્યા પ્રસાદ તિવારી મોટી હેરાફેરી કરતા હતા. પુજારીનો પગાર માત્ર ૧૦,૦૦૦ રૂપિયા હતો પણ તે કરોડપતિ છે. મઠ અને મંદિરની સંપતિમાં કરોડોની હેરાફેરી કરીને મહંતનો ગનર અભિષેક પણ બે વર્ષમાં કરોડપતિ બની ગયો છે.

બડે હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યાપ્રસાદ તિવારીનો પગાર ફકત ૧૦,૦૦૦ રૂપિયા હતો પણ નૈનીના શિવનગરમાં તેનું સાડા ચારસો વાર જમીનમાં આલિશાન મકાન છે. આ ઉપરાંત તેણે પૈતૃક મકાનને પણ રિપેર કરાવ્યું છે. નૈનીના તેના મકાનની કિંમત કરોડોમાં ગણાય છે. 

(2:58 pm IST)